ચારધામ યાત્રા 2025નો શુભારંભ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા … જાણો અપડેટ**
ઉત્તરકાશી@Sanatanyatra: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલા મા ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ અક્ષય તૃતીયાના શુભ અવસરે બુધવારે વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ સાથે શ્રદ્ધાળુઓના દર્શન માટે ખોલવામાં આવ્યા. આ સાથે ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રા 2025નો વિધિવત શુભારંભ થયો. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ બંને ધામોમાં કપાટ ખોલવાના સમારોહમાં ભાગ લીધો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે પ્રથમ પૂજા-અર્ચના કરીને દેશ-પ્રદેશની સમૃદ્ધિ, સુખ અને શાંતિની કામના કરી.